નેમિનાથદાદા
ગિરનારના નેમિનાથ પ્રભુની પ્રતિમા વજ્રની બનેલી છે. 🌹
❇ આ વાત લગભગ 700 વર્ષ પહેલાંની છે. 🌹 🌹
❇ બાદશાહ સુરત્રાણે આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ને પૂછ્યું કે સૂરિદેવ ! તમારાં ધર્મમાં ગિરનારનાં ઘણાં ઘણાં ગીત ગાન ગવાયાં છે ! તો શું ગિરનાર આટલો પ્રભાવશાળી છે ?🌹🌹
❇ " હા , બાદશાહ જૈન જ ધર્મમાં નહિ પણ બીજાં બધાં ધર્મોમાં ગિરનારને એક પવિત્ર તીર્થ તરીકે નિહાળે છે. અમારાં નેમિનાથ પ્રભુનું વિશાળ ત્યાં જિનમંદિર છે. એમના ત્રણ - ત્રણ કલ્યાણકોથી એ ધરતી ધન્ય બની ગઈ છે. "🌹🌹
❇ ' મંદિર - મૂર્તિનો કોઈ પ્રત્યક્ષ પ્રભાવ ખરો , સૂરિજી ? બાદશાહે પૂછ્યું. '🌹🌹
❇ અને આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ની સાથે બાદશાહ સૂરત્રાણ એક દિવસ ગિરનાર આવ્યો...🌹🌹
❇ સૂરીજીના મનમાં શ્રદ્ધા હતી , બાદશાહના મનમાં શંકા હતી...
❇ ગિરનારની ભવ્યતાને મુગ્ધભાવે નિહાળતો બાદશાહ એની ગોદમાં આવી ઉભો. પરીક્ષાની પળ હવે હાથવેંત હતી.... 🌹 🌹
❇ ગિરનારની પ્રકૃતિને દેખાતો બાદશાહ સૂરત્રાણ નેમિનાથ પ્રભુના દેરાસરમાં દરબારમાં આવી ઉભો. ત્યાં પહોંચતાં જ બાદશાહને પોતાના ગર્વ ખંડનનો ભય લાગ્યો... 🌹 🌹
❇ અષાઢી વાદળની શ્યામળતા , એ પ્રતિમાની પાસે પાણી ભરે એવી હતી. એનું સપ્રમાણ દેહકંડારણ અને એની મોહકતા પર બાદશાહ વારી ઊઠ્યો. એને થયું : આની પર વળી પરીક્ષા કરવાની હોય ! આજુબાજુના વાતાવરણનો કણ કણ બાદશાહને પોકારી રહ્યો કે , બાદશાહ ! પરીક્ષા કરવાનું માંડી વાળ. તારી શાન નહિ જળવાય. આ મૂર્તિ જ નહિ પરંતુ આ જિનાલયની એક - એક ઈંટ દેવોના વાસથી સુરક્ષિત છે !🌹🌹
❇ આવા પોકારથી બાદશાહ વિસ્મિત બની ઊઠ્યો. પણ ત્યાં તો એના અંતરનો એક અવાવરું ઓરડો ખુલ્લો થયો. અશ્રદ્ધાનો એક ઓછાયો એમાંથી બહાર નીકળ્યો ને એણે પુકાર કર્યો :🌹
❇ ' બાદશાહ ! પરીક્ષાની પળને ટાણે જ દેવી - દેવતાઓની હાજરાહજૂરી કરાય છે. માટે કરી લે પરીક્ષા ! કદાચ તારો ય જય થાય ! '🌹🌹
❇ અને બાદશાહે પ્રતિમા સમક્ષ પોતાનું વજ્ર ઉગાવ્યું !🌹🌹
❇ આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી ધ્યાનમગ્ન બેઠા હતા. ત્યાં તો અવાજ થયો : ખ...ણ... ણ ! ખણ... ણ ! ખણ....ણ !🌹🌹
❇ બાદશાહે ભગવાન નેમિનાથની પ્રતિમાં પર ત્રણ ત્રણ વજ્રઘાત કર્યા. છતાં એની કાંકરીય ન ખરી. બાદશાહ છક્ક થઈ ગયો : એણે પુનઃ એક વજ્રઘાત જોરથી કર્યો. પણ રે ! આ શું ! બાદશાહ ફાટી આંખે જ જોઈ રહ્યો. મૂર્તિમાંથી અગ્નિનાં જ્વલંત સ્ફુલિંગો ખરવા માંડ્યાં ! જાણે વીજળીના જ ટુકડાઓ !🌹🌹
❇ અગ્નિકણોના એ તેજથી બાદશાહ ગભરાયો. એને થયું આ સ્ફુલિંગની ચિનગારીઓ મારા દેહને ભડથું તો નહિ બનાવી દે ને ? બાદશાહે પોતાના હાથમાં રહેલું વજ્ર એક જ ઝાટકે દૂર ફેંકી દીધું. 🌹 🌹
❇ વજ્ર ફેકવાના અવાજથી સૂરિજીનું ધ્યાનભગ્ન થઈ ગયા. એમને જોયું કે બાદશાહ સુરત્રાણ નેમિનાથ પ્રભુના ચરણે ભેટી પડ્યો હતો. અને ઊંચે સાદે એ અરજ ગુજારી રહ્યો હતો :🌹🌹
❇ પ્રભુ મારા કસૂરને માફ કરજો ! મેં આપના પ્રભાવને , અનુભવની એરણ પર ચડાવવાની બદમુરાદ કરી. પણ હવે સમજાય છે કે એ મારો કસૂર હતો.
❇ બાદશાહ સુરત્રાણ થોડી પળો સુધી એમ ને એમ ધૂટણિયે પડી રહ્યો. થોડીકવાર પછી બાદશાહ ઉભો થયો. શ્રદ્ધાના એ વિજયની ખુશાલી રૂપે , જતાં જતાં ભગવાન નેમનાથના ચરણે સુવર્ણનો ઢગ સમર્પિત કર્યો. 🌹 🌹
✍🏼 ગિરનાર પ્રેમી.
Comments
Post a Comment