દહેરાસરની વિધી
દહેરાસર ની વિધી અને ૧૬ ભાવ..🙏🌹
૧. "પ્રથમ નીસિહી":
-આપણે મન,વચન,કાયાથી સંસારના કાર્યો ત્યાગ કરવા માટે બોલવી.
૨. "બીજી નીસિહી":-
-આપણે મન,વચન, કાયાથી દહેરાસર સંબંધી વાતોના ત્યાગ માટે બોલવી.
૩. "ત્રીજી નીસિહી":- આપણેમન,વચન,કાયાથી,દ્રવ્ય ત્યાગ કરી ભાવ પૂજામાં સ્થિર થવા માટે બોલવી.
૪. "જળ પૂજા" :-
-આપણા આત્મા ઉપર લાગેલા કર્મરૂપી મેલને ધોવા માટે કરવી
૫. "ચંદન પૂજા" :-
-આપણા આત્માને ચંદન જેવો શીતલ બનાવવા માટે કરવી.
૬. "ફૂલ પૂજા" :-
-આપણો આત્મા પત્થર જેવો કઠીન છે તેને ફૂલ જેવો કોમળ બનાવવા માટે કરવી.
૭. "ધૂપપુજા":-
-આપણા આત્મામાંથી દુર્ગુણો કાઢી સદગુણો લાવવા માટે કરવી.
૮. "દીપક પૂજા" :-
-આપણા ઉપર આવેલા અજ્ઞાનતાના અંધારા દૂર કરીને જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવા માટે.
૯. "અક્ષતપૂજા" :-
-અક્ષયપદ મેળવવા માટે.
૧૦. "નૈવેધપૂજા" :- અણહારીપદ મેળવવા માટે.
૧૧. "ફળપૂજા" :-
-મોક્ષરૂપી ફળ માટે કરવી.
૧૨. "સાથીયો" :-
-ચારગતી ને નાસ કરવા માટે.
૧૩."ત્રણઢગલી":-
-સમ્યગ્જ્ઞાન,સમ્યગ્દર્શન,સમ્યગ્ચારિત્રની પ્રાપ્તિ માટે.
૧૪ ."સિદ્ધશીલા":-
-સિદ્ધ થવા માટે,આત્માને ચોખા જેવો ચોખ્ખો કરવા માટે,
૧૫ ."ઘંટ":-
-આપણે પરમાત્મા ના પૂજા કરી તેનો આનંદ અંદરથી પ્રગટ થયો માટે વગાડવાનો હોય છે.
૧૬.""ચાંદલો"":-
-પરમાત્મા ની આજ્ઞાને માથે ચડાવવા માટે ચાંદલો કરવો.
🙏 બહુજ ભક્તિભાવથી પૂજા કરવી ચૈત્યવંદન,સ્તવન,થોય, સજ્ઝાય,ભાવ પૂર્વક બોલવા.
🙏બધુંજ થાય પછી ""પરમાત્મા"" સામે પાંચ મિનિટ આંખો બંધ કરી બેસવું."શુદ્ધ ભાવ" થી કહેવુ કે,👏 હે પ્રભુ !મને જલ્દી સંયમ મલે અને આરાધના કરી મોક્ષની પ્રાપ્તિ થાય.
🙏 જિનાલય ની બહાર આવ્યા પછી ઓટલો કે બાંકડો હોય ત્યાં બેસી ત્રણ નવકાર ગણી પછી ઘેર જવું.🙏
Comments
Post a Comment