તપનું મહત્વ
પ્રણામ🙏🙏🙏
જીવનમાં તપ નુ મહત્ત્વ
💦 જે ક્રિયા વડે શરીર નો રસ રુધિર વગેરે સાત પ્રકારની ધાતુઓ અથવા તો કર્મ સમુહ તાપ પામે શોષાઈ જાય તેને ""તપ"" કહેવામાં આવે છે.💦
💦 જીવનની ચાર ગતિ પૈકી મનુષ્ય ગતિ સર્વ શ્રેષ્ઠ છે. સર્વોત્કૃષ્ટ સુખ મોક્ષની પ્રાપ્તિ માટે મનુષ્યગતિ સિવાય બીજું કોઇ સાધન નથી.💦
💦 દેવો પણ એ દુર્લભ માનવજીવન ને ઝંખે છે. .!માનવજીવન નું ચણતર ધર્મ ના દ્રઢ પાયા પર રહેલું છે ધર્મ એ તેજરુપ છે.💦
💦 જો એ ધર્મરુપી તેજ લુપ્ત થયું તો? જીવન ની કિંમત કાચના કટકાની માફક નહીંવત્ છે..!💦
💦 દાન, શીલ , "તપ", ભાવ ..એ ચારેય ધર્મ ના સ્તંભ છે.💦
💦 જિનપુજા , સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મકરણી નિર્જરા ના હેતુભૂત છે..પરંતુ કર્મો ના ક્ષય માટે તો ""તપ"" એ જ એક અમોઘ ઉપાય છે.💦
💦 ભવચક્ર માં અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવું તે જ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.💦
💦 જે સુખની પાછળ દુઃખ આવે , કે , જન્મ મરણ ના ફેરા કરવા પડે તે અક્ષયસુખ ન કહી શકાય .💦
💦 અનુત્તર વિમાનવાસી દેવો ના સુખની તુલનામાં કોઇ સુખ સંસારમાં નથી છતાં પણ એ અપૂર્વ સુખ ભોગવ્યાં પછી પણ જન્મ , જરા, મરણાદિ નુ દુઃખ સહેવું પડે છે.💦
અવિચળ, શાશ્વત , અનુપમ મેય સુખ મુક્તિ માં જ છે.
🎊 ""તપ""ના આરાધનથી તેવું મુક્તિ સુખ મેળવી શકાય છે.🎊
તપ કરવાથી કોણ કોણ તર્યુ ?
તપ કરવાથી શ્રીપાલરાજા અને મયણાસુંદરી તરી ગયા.
આ જ ભવે મોક્ષ થવાનો છે એ જાણવા છતાં તપ કર્યો
🌹 ૪૦૦ દિવસ ના નિર્જળા ઉપવાસ એ "શ્રી આદિનાથ દાદા" કર્યા એક અને સૌથી વધુ ઘોર ઉપસર્ગ સહીને સાડા બાર વરસ તપ કરનાર આપણાં "શ્રી મહાવીર સ્વામી પ્રભુ" આ બંને ભગવાન જાણતા હોવા છતાં પણ કર્મ ખેરવવા ""તપ"" કર્યા.🌹
🥀 ઘોર તપ કરનાર બ્રાહ્મી અને સુંદરી શ્રી આદિનાથ દાદાના પુત્રી કે જેમણે ૬૦૦૦૦ વર્ષ આયંબિલ કર્યા.🥀
🌸 છઠ્ઠ ને પારણે છઠ્ઠ કરનાર તપસ્વી "શ્રી ગૌતમ સ્વામી" જેના પ્રભાવે અનંત લબ્ધિ એમના ચરણોમાં આળોટતી. અને એ ""તપ"" ના પ્રભાવે જ તેઓએ "અષ્ટાપદજી" ની યાત્રા કરી.🌸
🎊 તપ શક્તિ મુજબ કરાય.🎊
🌼 જે તપ સમતા સાથે કરવામાં આવે તે તપ કર્મ ને ખેરવી નાખે છે.🌼
Comments
Post a Comment