ગિરનાર તીર્થનો મહિમા

 🌷🙏ગીરનાર તીર્થ નો મહિમા🙏🌷


જેમ તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે, તેમ શત્રુંજય મહાતીર્થના પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થના મહિમાનું વર્ણન કરવું પણ અશક્ય જ છે. પૂર્વના મહાપુરુષોએ આ ગિરનાર મહાતીર્થનો મહિમા ઘણા ગ્રંથોમાં જુદી – જુદી રીતે દર્શાવ્યો છે. તેનો કંઈક અંશ અહીં બતાવવા પ્રયત્ન કરીએ છીએ.


૧. જ્યાં ગત ચોવીસીના દસ તીર્થંકર પરમાત્માના મોક્ષ કલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ


૨. જ્યાં વર્તમાન ચોવીસીના બાવીસમાં શ્રી નેમિનાથ પરમાત્માના ત્રણ કલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૩. જ્યાં આવતી ચોવીસીના ચોવીસે તીર્થંકર ભગવંતોના મોક્ષ કલ્યાણક થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૪. જ્યાં વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૫. જ્યાં અનંતા તીર્થંકર પરમાત્માઓના દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા અને થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૬. જે તીર્થના પ્રભાવે કૃષ્ણ મહારાજાએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૭. જે શત્રુંજયની સમાન શાશ્વતુ અને શત્રુંજયનું પાંચમું સુવર્ણમય શિખર છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૮. સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકના સર્વ સુર, અસુર અને રાજાઓ જેના આકારને પુજે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૯. જે ગિરિના સ્પર્શથી આ ભવમાં કે પરભવમાં દારિદ્રય આવતું નથી એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૦. જે તીર્થમાં નિવાસ કરતાં તિર્યંચો પણ આઠ ભવમાં મોક્ષ પદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૧. જે તીર્થની માટીને ગુરુગમયોગથી તેલ અને ઘી સાથે ભેળવીને અગ્નિમાં તપાવવાથી સુવર્ણ બંને છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૨. જે તીર્થ ઉપર વસતા જળચર, સ્થળચર અને ખેચર જીવો પણ ત્રણ ભવમાં મુક્તિપદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૩. જે તીર્થ ઉપર ન્યાયોપર્જિત ધનથી સુપાત્રદાન દ્વારા ભવોભવ સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૪. જે તીર્થનું ઘરે બેસીને પણ નિત્ય ધ્યાન ધરવાથી ચોથા ભવે મોક્ષપદ મળે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૫. જે તીર્થ પર રહેલા ગજપદકુંડનાં જળ વડે જિનાર્ચન કરવાથી સર્વ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૬. જે તીર્થ પર રહેલા ગજપદકુંડનાં જળના પાનથી સર્વ બાહ્ય અને અભ્યંતર રોગો નાશ પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૭. જે તીર્થના અધિષ્ઠાયિકા અંબિકાદેવી (અનેક મહાપુરુષોને સહાય કરનારા) આજે પણ હાજરાહજૂર છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૮. દર મહિનાની અમાસના દિવસે અંબિકાદેવી જે તીર્થની સાતે શિખરની પ્રદક્ષિણા આપે છે એવું સાંભળવામાં આવે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૧૯. જે પાવન તીર્થ ઉપર ચૌદ ભવ્ય જિનાલયો બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૨૦. જે તીર્થની પાવન ભૂમિમાં નેમિપ્રભુના દીક્ષા –કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ સહસાવનનો તીર્થોધ્ધાર કરાવનાર આયંબિલનાં તપસ્વી પ. પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું અંતિમસંસ્કાર સ્થાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૨૧. જે તીર્થની સેવાથી પાપી જીવો પણ શિવપદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૨૨. અનેક દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોતપોતાની ઇષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી જે તીર્થમાં નિવાસ કરે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૨૩. જે તીર્થની સેવાથી મહાપાપી, મહાદુષ્ટ અને કુષ્ટાદિ રોગવાળા જીવો પણ સર્વસુખના ભાજન થાય એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૨૪. જે તીર્થમાં સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વ ઈચ્છિત ફળને આપનારી રસકૂપિકાઓ રહેલી છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.


૨૫. જે તીર્થની ગુફામાં ભૂત – ભાવી અને વર્તમાન એમ ત્રણ ચોવીસીના બોંતેર પ્રતિમાઓ બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.

Comments

Popular posts from this blog

५८ घडी कर्म की तो २ घडी धर्म की

Parshwanath Dada

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા