Posts

Showing posts from May, 2023

ઈડર તીર્થ

Image
શ્રી ઈડર તીર્થ ગુજરાત ના પ્રાચિન જૈન તીર્થોમાંનુ એક ઇડર તીર્થ. જ્યાં સંપ્રતિકાલિન એટલે મહાવીરસ્વામિ પછીના ૨૮૫ વર્ષ દરમિયાન સંપ્રતિ મહારાજાએ નિર્માણ કરાવેલ શ્રી શાંતિનાથ દાદા સહિતની પ્રતિમાજી બિરાજમાન છે.       પ્રાચીન નામ ઈલાદુર્ગ, ઈડર પહાડ ઉપર રમણીય પ્રકૃતિની વચ્ચે આવેલા ૫૫ ફુટ ઉંચા, દેવવિમાન જેવા દેદિપ્યમાન સંપ્રતિકાલીન બાવન જિનાલયના સત્તરમી સદી બાદ થયેલા જીર્ણોદ્ધાર વખતે ૬૮સેમીની શ્વેતવર્ણનીય પદ્માસનયુક્ત આ પ્રતિમાની મૂળનાયક રૂપે પ્રતિષ્ઠા થઇ, અગાઉ મૂળનાયક શ્રી આદેશ્વરજી હતા.      આ જિનાલય ગભારો, ગુઢ મંડપ, છ ચોકી, ખુલ્લો સભા મંડપ, શૃંગાર ચોકી, ઘુમ્મટબંધ બાવન દેરી, સન્મુખ પુંડરીક સ્વામીની દેરી, કોટયુક્ત, શિખરબંધ રચનાવાળુ છે.      વર્ષો વર્ષ જિર્ણોધ્ધાર પામેલ જિનાલયોમાંનુ પ્રાચિન જિનાલય ખંડેર સ્વરુપે હજુ બિરાજમાન છે. વર્તમાનમાં નૂતન બાવન જિનાલયનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. નૂતન જિનાલય પણ તીર્થ અને પ્રભુની દિવ્યતા અને ભવ્યતામાં ઓર ઉમેરો કરે છે.      ઇડર તીર્થ અને ગઢનો ઇતિહાસ બહુ જ જૂનો ને ભવ્ય છે.      જીર્ણો...

નવકાર મહામંત્ર

Image
 નવકારનો મહિમા અને ફળ                     નવકાર મંત્ર આ લોક અને પરલોક એમ બંને લોકમાં અત્યંત ઉપકારી છે. મહાનિશીથ સૂત્રમાં કહેલું છે કે , ભાવથી નવકાર ગણતાં ચોર , સિંહ , સર્પ , પાણી અગ્નિ બંધન , રાક્ષસ , સંગ્રામ , રાજભય વગેરે ભયો જતા રહે છે.                       બીજા ગ્રંથોમાં પણ કહેલું છે કે , " પુત્રાદિકના જન્મ વખતે પણ નવકાર ગણવો. કે જેથી તે નવકારના ફળથી ૠદ્ધિવંત થાય.  મરણ વખતે આ નવકાર સંભળાવવો કે જેથી મરનાર જરૂર સદ્દગતિએ જાય. આપદા વખતે પણ નવકાર ગણવો કે જેથી સેંકડો આપદાઓ જતી રહે છે. ધનવંતે પણ નવકાર ગણવો કે જેથી તેની ઋદ્ધિ વિસ્તાર પામે.                       નવકારના એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે. નવકારના એક પદથી પચાસ સાગરોપમ પાપોનો ક્ષય થાય છે. આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે.                      વિધિ પૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજ...

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

Image
  શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજી ક્યાં ,કેટલી સાલ પુજાયા . ગત ચોવીસીના નાવમાં શ્રી દામોદર ભગવાનના સમયમાં અષાઢી શ્રાવકે આ પ્રતિમાજીનું નિર્માણ કરાવેલું. ૧.  -  પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ.   ૨.  - સૂર્યદેવના  વિમાનમાં ૫૪ લાખ વર્ષ.   ૩.  - ભવનપતિ દેવ ના આવાસમાં સંખ્યાત વર્ષ .    ૪.  - ચંદ્રદેવના વિમાનમાં ૫૪ લાખ વર્ષ.  ૫.  - વ્યંતર દેવોના નગરોમાં સંખ્યાત વર્ષ.  ૬.  -  ગંગા નદીમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ.  ૭.  -  પુનઃ પ્રથમ દેવલોકમાંદ અસંખ્યાત વર્ષ.  ૮.  -  યમુના નદીમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ. ૯.  -  બીજા દેવલોકમાં અસંખ્ય વર્ષ. ૧૦.  - લવણોદધિ સમુદ્રમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ.  ૧૧.  - ગિરનાર પર્વત પાર કંચન બલાનક નામની સાતમી ટૂંક પર સંખ્યાત વર્ષ. ૧૨.  - પુનઃ પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ. ૧૩.   - મુનિસુવ્રતસ્વામીના સમયમાં રામચંદ્રજી દ્વારા સંખ્યાત વર્ષ. ૧૪.   - પુનઃ પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ. ૧૫.  - પુનઃ ગિરનારન...

ગિરનાર તીર્થનો મહિમા

 🌷🙏ગીરનાર તીર્થ નો મહિમા🙏🌷 જેમ તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે, તેમ શત્રુંજય મહાતીર્થના પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થના મહિમાનું વર્ણન કરવું પણ અશક્ય જ છે. પૂર્વના મહાપુરુષોએ આ ગિરનાર મહાતીર્થનો મહિમા ઘણા ગ્રંથોમાં જુદી – જુદી રીતે દર્શાવ્યો છે. તેનો કંઈક અંશ અહીં બતાવવા પ્રયત્ન કરીએ છીએ. ૧. જ્યાં ગત ચોવીસીના દસ તીર્થંકર પરમાત્માના મોક્ષ કલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ ૨. જ્યાં વર્તમાન ચોવીસીના બાવીસમાં શ્રી નેમિનાથ પરમાત્માના ત્રણ કલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ. ૩. જ્યાં આવતી ચોવીસીના ચોવીસે તીર્થંકર ભગવંતોના મોક્ષ કલ્યાણક થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ. ૪. જ્યાં વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ. ૫. જ્યાં અનંતા તીર્થંકર પરમાત્માઓના દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા અને થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ. ૬. જે તીર્થના પ્રભાવે કૃષ્ણ મહારાજાએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું એવુ...

५८ घडी कर्म की तो २ घडी धर्म की

 अट्ठावन घडी कर्म की   तो दो घडी धर्म  की  एक शेठ, जिसका नाम गांव के करोड़पति श्रेष्ठीओ में गिना जाता था ।उनका व्यापर परदेश मे  भी चलता था । एक बार  परदेश से अचानक समाचार आये की आप यहाँ आकर अच्छी तरह से अपना व्यापार संभाल लीजिये । समाचार सुनते ही सेठ विदेश के लिए रवाना हो गये। वहां व्यापार की देखभाल करके और आगे की व्यापारिक लेन-देन की रूपरेखा समझाकर कुछ ही महीनो में सेठजी वापस घर आने के लिए रवाना हुए,उनके साथ धनराशि का जोखम अधिक होने से उन्होंने अपने साथ तीन-चार पहरेदार रख लिए । भयंकर जंगल एवं अनेक अटवियों को सुरक्षित रूप से पार करते हुए शेठ जब अपने गांव के नजदीक पहुँचे , तब अचानक से नजदीक  की किसी पहाड़ी से ६० डाकुओ का गिरोह आ निकला ।एकसाथ चारो तरफ से उन्होंने शेठ जी को घेर लिया तथा जोर-जोर से बोलने लगे,” लूटो, पकड़ो, मारो , सारी धन-सम्पति को लूट लो ।”          अचानक ऐसा हमला देखकर शेठ हक्का -बक्का रह गया ।वह थर-थर कांपने लगा । ६० डाकुओ को देखकर , शेठ के साथ रहे हुए पहरेदार भाग खड़े हुए । अब शेठ अकेला होने के कारन ज्यादा ...

ગિરનાર તીર્થનો જીર્ણોદ્ધાર

ગિરનાર તીર્થના દેરાસરનો જીણોદ્ધાર 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏           વાત 900 વર્ષ પહેલાંની છે. ત્યારે પાટણમાં રાજા સિદ્ધરાજનું સામ્રાજ્ય ચાલતું હતું. સિદ્ધરાજે વિ. સં. 1170 માં સોરઠ દેશ ઉપર ચઢાઈ કરીને રા'ખેંગારને હરાવી લીધો. ત્યારબાદ સજ્જન મંત્રીને સૌરાષ્ટ્રના દંડનાયક તરીકે નીમવામાં આવ્યો.               એક વાર સજ્જન મંત્રી ગિરનાર તીર્થની યાત્રા કરવા જાય છે , ત્યારે ત્યાંના જીર્ણ થયેલા દેરાસરો જોઈને ખૂબ દુઃખી થાય છે. રાજા સિદ્ધરાજની હકુમતમાં જિનલયોની આવી હાલત ! તેનું અંતર કકળી ઉઠ્યું ! એ સમયે રાજગચ્છના સદા એકાંતરે ઉપવાસ તપની આરાધના કરતાં આચાર્ય ભદ્રેશ્વરસૂરિના ઉપદેશથી સજ્જન મંત્રીએ જીર્ણ હાલતમાં રહેતા કાષ્ઠના બનેલા શ્રી નેમિનાથ પરમાત્માના મુખ્ય જીનાલયનો પાયામાંથી જિણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો.                શુભ મુહૂર્તે જિણોદ્ધારનો પ્રારંભ થયો. કુશળ કારીગરો પોતાની કળાનો કસબ દેખાડવા લાગ્યા. ખંડેર બની ગયેલા મંદિરો મહેલ જેવા બનવા લાગ્યા. સજ્જન મંત્રી પોતાની સર્વ શક્તિ જિનાલયના નિર્માણ પાછળ ...