Posts

Showing posts from April, 2023

સ્નાત્ર પૂજા

Image
|| સ્નાત્રપૂજા-રાજકુમાર નંદિષેણ || જિનેશ્વર ભગવાનનો વિશ્વમાં જોટો ન જડે. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે ભગવાનનું શરીર ગુણોમાંથી બન્યું છે. પ્રભુના પ્રત્યેક રોમરાજીમાંથી ઝરે છે તે શું છે ? કરુણા અને પ્રેમ. જગતના સર્વ જીવો પર કરુણા અને જગતના સર્વ જીવો પર પ્રેમ.  જેના દર્શનથી આત્માની પાંખડી ખૂલી જાય તેવા જિનેશ્વર ભગવાનને સ્નાત્રપૂજામાં વંદન કરવામાં આવ્યા છે. 'કુસુમાભરણ' નામની ગાથામાં શી રીતે સ્નાત્ર ભણવવાનું છે તેની સૂચના મળે છે. સ્નાત્રપૂજામાં શું અમૃતભર્યું છે તે જાણી લો. ભગવાનને સિંહાસન પર બિરાજમાન કરશો ત્યારે પ્રતિમા પરથી પુષ્પો, આભૂષણો વગેરે ઉતારવાના છે. આ બધું કાર્ય વિવેકપૂર્વક કરવાનું છે.  વીરવિજયજી મહારાજ સ્નાત્રપૂજામાં શીખવે છે. ઉત્તમ ભાવના ભાવવાની છે. ક્યાંક વિવેક ચૂકવાનો નથી. સ્નાત્રપૂજા એટલે ભગવાનના જન્મોત્સવનું ગાન. વીરવિજયજી સ્વયં સાધુપુરુષ છે. સ્વયં મહાપુરુષ છે. ઉત્તમ ગ્રંથોના લેખક છે. દુનિયાને શ્રેષ્ઢ આપનારા છે. પહેલા શ્લોકમાં જિનેશ્વર ભગવાનનું વર્ણન છે. બીજા શ્લોકમાં કેવી રીતે વિધાન કરશો તે કહે છે.  આ જિનેશ્વર ભગવાનની સ્નાત્રપૂજા છે. એ સરળતાથી વહે છે. મહાન રચન...

દહેરાસરની વિધી

 દહેરાસર ની વિધી અને ૧૬ ભાવ..🙏🌹 ૧. "પ્રથમ નીસિહી": -આપણે મન,વચન,કાયાથી સંસારના કાર્યો ત્યાગ કરવા માટે બોલવી. ૨. "બીજી નીસિહી":- -આપણે મન,વચન, કાયાથી દહેરાસર સંબંધી વાતોના ત્યાગ માટે બોલવી. ૩. "ત્રીજી નીસિહી":- આપણેમન,વચન,કાયાથી,દ્રવ્ય ત્યાગ કરી ભાવ પૂજામાં સ્થિર થવા માટે બોલવી. ૪. "જળ પૂજા" :- -આપણા આત્મા ઉપર લાગેલા કર્મરૂપી મેલને ધોવા માટે કરવી ૫. "ચંદન પૂજા" :- -આપણા આત્માને ચંદન જેવો શીતલ બનાવવા માટે કરવી. ૬. "ફૂલ પૂજા" :- -આપણો આત્મા પત્થર જેવો કઠીન છે તેને ફૂલ જેવો કોમળ બનાવવા માટે કરવી. ૭. "ધૂપપુજા":- -આપણા આત્મામાંથી દુર્ગુણો કાઢી સદગુણો લાવવા માટે કરવી. ૮. "દીપક પૂજા" :- -આપણા ઉપર આવેલા અજ્ઞાનતાના અંધારા દૂર કરીને જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવા માટે. ૯. "અક્ષતપૂજા" :- -અક્ષયપદ મેળવવા માટે. ૧૦. "નૈવેધપૂજા" :- અણહારીપદ મેળવવા માટે. ૧૧. "ફળપૂજા" :- -મોક્ષરૂપી ફળ માટે કરવી. ૧૨. "સાથીયો" :- -ચારગતી ને નાસ કરવા માટે. ૧૩."ત્રણઢગલી":- -સમ્યગ્જ્ઞાન,સમ્યગ્દર્શન,સમ...

શત્રુંજય તીર્થની આરાધનાનું ફળ

Image
શ્રી શત્રુંજય તીર્થની આરાધનાનું ફળ. ૧) ધરમાં બેઠા શત્રુંજયનું ધ્યાન ધરે તો ૧ હજાર પલ્યોપમના પાપ કર્મો નાશ પામે છે. ૨) શત્રુંજય તીર્થયાત્રા ન થાય ત્યાં સુધી અમુક ઇષ્ટ વસ્તુ ન ખાવી તેવો અભિગ્રહ કરે તો ૧ લાખ પલ્યોપમના પાપ કર્મો નાશ પામે છે. ૩) શત્રુંજયની યાત્રા કરવા ઘરેથી નીકળે તો ૧ સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે. ૪) શત્રુંજય મહાતીર્થ ઉપર ચડી શ્રી મૂળનાયક દર્શન કરે તો ર સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે. ૫) તીર્થનાયકની પૂજા-સ્નાત્ર કરતાં ૧ હજાર સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે. ૬) શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ભાવનાથી સિદ્ધગિરિ તરફ જતાં દરેક ડગલે હજાર ભવ કોટીના પાપ કર્મોનો નાશ થાય છે. ૭) અન્ય તીર્થે પૂર્વ ક્રોડ વર્ષ આરાધના કરતાં જે ફળ પ્રાપ્ત થાય તેટલું ફળ શત્રુંજય તીર્થ પર નિર્મળ ભાવે માત્ર ૪૮ મિનિટની આરાધનાથી પામી શકાય છે. ૮) શ્રી શંત્રુજય તીર્થને વંદન કરવાથી સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઇ તીર્થ છે તે સર્વના દર્શન યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. ૯) અન્ય તીર્થોમાં ઉગ્ર તપ કરવાથી અને શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે તેટલું ફળ શત્રુંજયગિરિમાં માત્ર રહેવાથી મળે છે. ૧૦) અન્ય તીર્થે ૧...

તપનું મહત્વ

પ્રણામ🙏🙏🙏 જીવનમાં તપ નુ મહત્ત્વ  💦 જે ક્રિયા વડે  શરીર નો રસ રુધિર  વગેરે  સાત પ્રકારની  ધાતુઓ અથવા  તો  કર્મ સમુહ તાપ પામે શોષાઈ  જાય તેને ""તપ"" કહેવામાં  આવે છે.💦 💦 જીવનની  ચાર ગતિ પૈકી મનુષ્ય ગતિ  સર્વ શ્રેષ્ઠ છે. સર્વોત્કૃષ્ટ  સુખ મોક્ષની  પ્રાપ્તિ માટે મનુષ્યગતિ સિવાય  બીજું કોઇ  સાધન નથી.💦  💦 દેવો પણ એ દુર્લભ માનવજીવન ને ઝંખે છે. .!માનવજીવન નું ચણતર ધર્મ ના  દ્રઢ પાયા  પર રહેલું છે ધર્મ એ તેજરુપ  છે.💦 💦 જો એ ધર્મરુપી  તેજ લુપ્ત થયું તો? જીવન ની કિંમત કાચના  કટકાની  માફક  નહીંવત્  છે..!💦 💦 દાન, શીલ , "તપ", ભાવ ..એ ચારેય ધર્મ ના સ્તંભ છે.💦 💦 જિનપુજા , સામાયિક, પ્રતિક્રમણ વગેરે  ધર્મકરણી  નિર્જરા ના  હેતુભૂત  છે..પરંતુ કર્મો ના  ક્ષય  માટે તો  ""તપ""  એ જ એક અમોઘ ઉપાય છે.💦 💦 ભવચક્ર માં  અવ્યાબાધ સુખ  પ્રાપ્ત કરવું  તે જ અંતિમ લક્ષ્ય હોવું  જોઈએ.💦 💦 જે  સુખની  પાછળ  દુઃખ...

Parshwanath Dada

Image
શ્રી પાર્શ્વનાથ પ્રભુ પુરુષાદાનીય કેમ કહેવાયા ? તેઓશ્રી નો વિશેષ મહિમા અને ભારતવર્ષમાં સૌથી વધુ જિનાલયો કેમ જોવા મળે છે? 👉કારણ કે....... શ્રી પાર્શ્વનાથ પ્રભુ તીર્થંકર તરીકેના ભવથી પૂર્વના ત્રીજા ભવમાં શ્રી કનકબાહુ નામે રાજા હતાં શ્રી કનકબાહુ રાજાએ સંયમ નો સ્વીકાર કર્યો. વિધિપૂર્વક વીશ સ્થાનક તપ ની આરાધના કરી. 'સવી જીવ કરું શાસનરસી' ની ઉત્કૃષ્ટ ભાવના ભાવી તીર્થંકર નામ કર્મની નિકાચના કરી. કાલધર્મ પામી પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ આયુષ્ય વાળા પ્રમુખ દેવ થયાં. એ સમય તેરમાં તીર્થંકર શ્રી વિમલનાથ પ્રભુ નો હતો. આ પછી બાવીસમાં શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા ત્યાં સુધી દેવભવમાં રહેલા પ્રભુના આત્માએ શ્રી જિનેશ્વર ભગવંતોના 500 કલ્યાણક મહોત્સવોમાં અગ્રેસર બનીને અપૂર્વ પુણ્યબંધ કર્યો હતો. 500 કલ્યાણક આ રીતે સમજવા. 20 સાગરોપમ ના એ કાળ દરમિયાન 05 ભરત અને 05 ઐરાવત મળી 10 ક્ષેત્રો માં દશ દશ તીર્થંકરો થયા... એટલે 5 ભરતક્ષેત્ર x 10=50 5 ઐરાવતક્ષેત્ર x10=50 કુલ 100 તીર્થંકર ભગવંતો થયાં. દરેક તીર્થંકરના 5 કલ્યાણકો ગણતાં કુલ્લે 500 કલ્યાણકો થાય. દેવલોક માં રહેલા પાર્શ્વનાથ પ્રભુના આત્માએ 20 સાગ...

નેમિનાથદાદા

Image
ગિરનારના નેમિનાથ પ્રભુની પ્રતિમા વજ્રની બનેલી છે. 🌹 ❇ આ વાત લગભગ 700 વર્ષ પહેલાંની છે. 🌹 🌹 ❇      બાદશાહ સુરત્રાણે આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ને પૂછ્યું કે સૂરિદેવ ! તમારાં ધર્મમાં                       ગિરનારનાં ઘણાં ઘણાં ગીત ગાન ગવાયાં છે ! તો શું ગિરનાર આટલો પ્રભાવશાળી છે ?🌹🌹  ❇      " હા , બાદશાહ જૈન જ ધર્મમાં નહિ પણ બીજાં બધાં ધર્મોમાં ગિરનારને એક પવિત્ર તીર્થ તરીકે           નિહાળે છે. અમારાં નેમિનાથ પ્રભુનું વિશાળ ત્યાં જિનમંદિર છે. એમના ત્રણ - ત્રણ                             કલ્યાણકોથી એ ધરતી ધન્ય બની ગઈ છે. "🌹🌹 ❇      ' મંદિર - મૂર્તિનો કોઈ પ્રત્યક્ષ પ્રભાવ ખરો , સૂરિજી ? બાદશાહે પૂછ્યું. '🌹🌹 ❇      અને આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ની સાથે બાદશાહ સૂરત્રાણ એક દિવસ ગિરનાર              ...

સ્વપ્ન

 પ્રભુ વિરના 10 સ્વપ્નો અને તેનું ફળ. 1.     તાડ પિશાચનો ઘાતઃ - મોહનિય કર્મનો ઘાત 2.     શુક્લપક્ષી દ્વારા સેવાઃ - શુક્લ ધ્યાન 3.     કોયલપક્ષીનું ગીતઃ - દ્વાદશાંગીની પ્રેરૂપણા 4.     ગાયોની સમુહ સેવાઃ - ચર્તુર્વિધ સંઘની સ્થાપના 5.     મહાસાગર પાર કર્યોઃ - ભવસાગર નો અંત 6.     ઊગતો સૂર્યઃ - કેવળજ્ઞાનની પ્રાપ્તિ 7.     માનુષોત્તર પર્વતને વિંટળાવુંઃ - ત્રણ ભૂવનમાં કીર્તિ ફેલાઈ જવી 8.     મેરૂપર્વત આરોહણઃ - સમવસરણમાં દેશના 9.     દેવોથી સેવાતું પદ્મસરોવરઃ - ઈન્દ્રો દ્વારા થતી સેવા 10.     પુષ્પની બે માળાઃ - સર્વ વિરતી, દેશ વિરતી ધર્મની પ્રરૂપણા આવા ઉપકારી દેવાધિદેવની પૂજા કરવાથી આઠે કર્મોનો નાશ થાય છે. માટે આવા તીર્થંકરની તો દરરોજ ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ.        

સમવસરણ

Image
  1. સૌધર્મ ઈન્દ્રે કરેલ સમવસરણ આઠ દિવસ રહે છે. 2. ઈશાન ઈન્દ્રે કરેલ સમવસરણ પંદર દિવસ રહે છે. 3. સનતકુમાર ઈન્દ્રે કરેલ સમવસરણ એક મહિનો રહે છે. 4. માહેન્દ્ર દેવે કરેલ સમવસરણ બે મહિના રહે છે. 5. બ્રાહ્મેન્દ્ર દેવે કરેલ સમવસરણ ચાર મહિના રહે છે. 6. અચ્યુત્ય દેવે કરેલ સમવસરણ દશ દિવસ રહે છે. 7. જ્યોતિષ ઈન્દ્રે કરેલ સમવસરણ પંદર દિવસ રહે છે. જ્યારે ભગવાન દેશના આપે ત્યારેવાણી સાંભળવા માટે આવનાર નર, નારી, સાધુ, સાધ્વી, વૈમાનિક દેવો, દેવી, ભવનપતિ દેવ, દેવિ, જ્યોતિષિ દેવ, દેવી, વ્યંતર દેવ, દેવી, વિગેરે બાર પર્ષદા બેસે છે. જય જિનેન્દ્ર     

સાધર્મિક ભક્તિ

એક કંપનીમાં બોસ દર 25 ડિસેમ્બરના રોજ એનાં 300 માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને 3 લાખ જમા કરતા અને એમાં પોતાના તરફથી 3 લાખ ઉમેરીને 6 લાખની લોટરી ડ્રો કાઢતા. એમાં જેમનું નામ નિકળતું એને 6 લાખ બક્ષિસરૂપે મળતાં. એ કંપનીમાં ઝાડુ-પોતા કરવાવાળી બાઈને રૂપિયાની બહુ જરૂર હતી. એનાં દિકરાનું ઓપરેશન કરવાનું હતું. લોટરી એક જુગારની રમત હતી. એને લોટરી ન લાગે તો દેખીતી રીતે એને હજાર રૂપિયાનું નુકસાન થાય તેમ હતું. છતા એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લોટરી એને જ લાગે. મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઈનામ એને જ લાગે. એણે યુક્તિ કરીને પોતાની કાપલી પર પોતાના નામને બદલે કામવાળી બાઈનું નામ લખીને કાપલી બોક્ષમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઈનામ કામવાળી બાઈને જ લાગે. આમ તો 300 માણસમાં પોતાનું નામ જતું કરવાથી ઈનામ કામવાળી બાઈને જ લાગે એવી શક્યતા બહુ ઓછી હતી. છતા એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયા બાદ લોટરીના ડ્રો નો સમય આવી પહોંચ્યો. બોસે એક કાપલી કાઢી. કામવાળી અને મેનેજર બંન્નેની ધડકન વધી ગઈ. કોનું નામ નિકળશે? એની આત...