Posts

કાર્તિક શેઠ

શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં પૃથ્વીભૂષણ નામના નગરમાં એક કાર્તિક નામના શેઠ વસતા હતા. તે ગામમાં એકદા ગરિક નામે એક તાપસ આવ્યો. તે માસોપવાસના પારણે માસોપવાસ કરતો હતો. તેના તપની ભારોભાર પ્રશંસા થતી હતી. તેથી આખું નગર તેનાં દર્શને આવતું અને લોકો તેનાં દર્શન કરી ધન્યતા અનુભવતા હતા.  પણ તે તાપસ મિથ્યાત્વી હોઈ કાર્તિક શેઠ તેના દર્શને ન ગયા. શુદ્ર આત્માઓ પોતાને કોણે આદર આપ્યો અને કોણે ન આપ્યો તેનું ખાસ ધ્યાન રાખે છે. આ ઐરિક તાપસે પણ કાર્તિક શેઠ પોતાને દર્શને નથી આવ્યા તેનું ધ્યાન રાખ્યું અને મનથી આ કાર્તિક શેઠને પણ ગમે તેમ કરીને પોતાને નમાવવાનો પ્રબળ વિચાર કર્યો. તે નગરના રાજા પણ તાપસને વંદન કરવા આવ્યા, અને તાપસને પારણું કરવા પોતાના મહેલે પધારવા આમંત્રણ આપ્યું. તાપસે જો કાર્તિક શેઠ તેને પીરસે જમાડે તો તમારે ત્યાં પારણા માટે આવું એવી શરત કરી, પારણા માટે રાજમહેલે આવવા હા કહી. રાજાએ તે શરત કબૂલ કરી, અને પારણાના દિવસે કાર્તિક શેઠને પોતાના મહેલમાં બોલાવી તાપસ આવે ત્યારે તેમને પીરસવા-જમાડવા હુકમ કર્યો.  કાર્તિક શેઠ આવા હુકમથી બહુ ખિન્ન થયા. કારણ કે પોતે વ્રતધારી શ્રાવક હતા. પોતાના સમ્યકત્વ...

नरक के दुख

  नरक के दुख:-                 यह रत्नप्रभा ( प्रथम ) पृथ्वी तीन हिस्सों में बँटी हुई है। पहला खरकांड (सर-कठिन, कांड-विभाग) कठिन भूमि भाग विशेष, दूसरा पंकबहुलकांड और तीसरा अपबहुलकांड। पंक - कीचड़ विशेष, अप - जल विशेष युक्त जो है वह।                      इस में पहला खरकांड सोलह विभागों में बँटा हुआ है । १ रत्नकांड, २ वज्र, ३ वैडूर्य, ४ लोहित, ५ मसारगल्ल, ६ हंसगर्भ, ७ पुलक, ८ सौगन्धिक, ९ ज्योतिरस, १० अंजन, ११ अंजनपुलक, १२ रजत, १३ जातरूप, १४ अंक, १५ स्फटिक और १६ रिष्टरत्न। इस प्रकार हरेक नाम अपनी अपनी जाति के रत्न विशेष भू भाग से गर्मित होने से सान्वर्धक है। प्रत्येक काण्ड एक हजार (१०००) योजन मोटा तथा १६००० योजन ऊंचा होता है। यह माप प्रारंभ के खरकाण्ड का है, दूसरा पंक- महुलको ८४००० योज़न मोटा और तीसरा अपजल बहुलकांड ८०००० योजन मोटा होता है ।                      इस प्रकार तीनों संख्याओं को कुल मिलाने से प्रथम धर्मा (रत्नप्रभा) पृथ्वी का म...

पंचम आरा

 पांचवां आरा  - दुषमा काल १. चौथा आरा पूर्ण  होने पर कौनसा आरा लगता है? १. उत्तर:- पांचवां आरा । २. पांचवां आरा किस नाम से जाना जाता है? २. उत्तर:-  दुषमा काल । ३. पांचवां आरे के मनुष्यो को कितने संहनन होते है ? ३. उत्तर:- छहों संहनन । ४. पांचवां आरे के मनुष्यो को कितने संस्थान होते है ? ४. उत्तर :- छहों संस्थान । ५. पांचवां आरे के मनुष्यो का कालमान कितने  है ? ५. उत्तर:- २१ हजार वर्ष प्रमाण। ६. पांचवें आरे की शुरुआत में मनुष्यो की अवगाहना  कितनी होती है ? ६. उत्तर:- सात हाथ की। ७. पांचवें आरे की शुरुआत में मनुष्यो की आयु कितनी होती है ? ७. उत्तर :- जघन्य-अन्तमुहूर्त,उत्कृष्ट -१०० वर्ष। ८. पांचवें आरे की शुरुआत में मनुष्यो की शरीर में पंसलियां कितनी होती है ? ८. उत्तर:- १६ पंसलियां। ९. पांचवें आरे के मनुष्य कितनी गतियोँ में जा सकते है ? ९.उत्तर:- चारों गतियोँ में गमनागमन करते है। १०. क्या पांचवें आरे में मोक्ष जा सकते है ? १०. उत्तर:- नहीं, पांचवें आरे के जन्मे हुये  मोक्ष नहीं जा सकते है । ११. कौन से मनुष्य पांचवें आरे में मोक्ष जा सकते है ? ११. उत्तर...

ઈડર તીર્થ

Image
શ્રી ઈડર તીર્થ ગુજરાત ના પ્રાચિન જૈન તીર્થોમાંનુ એક ઇડર તીર્થ. જ્યાં સંપ્રતિકાલિન એટલે મહાવીરસ્વામિ પછીના ૨૮૫ વર્ષ દરમિયાન સંપ્રતિ મહારાજાએ નિર્માણ કરાવેલ શ્રી શાંતિનાથ દાદા સહિતની પ્રતિમાજી બિરાજમાન છે.       પ્રાચીન નામ ઈલાદુર્ગ, ઈડર પહાડ ઉપર રમણીય પ્રકૃતિની વચ્ચે આવેલા ૫૫ ફુટ ઉંચા, દેવવિમાન જેવા દેદિપ્યમાન સંપ્રતિકાલીન બાવન જિનાલયના સત્તરમી સદી બાદ થયેલા જીર્ણોદ્ધાર વખતે ૬૮સેમીની શ્વેતવર્ણનીય પદ્માસનયુક્ત આ પ્રતિમાની મૂળનાયક રૂપે પ્રતિષ્ઠા થઇ, અગાઉ મૂળનાયક શ્રી આદેશ્વરજી હતા.      આ જિનાલય ગભારો, ગુઢ મંડપ, છ ચોકી, ખુલ્લો સભા મંડપ, શૃંગાર ચોકી, ઘુમ્મટબંધ બાવન દેરી, સન્મુખ પુંડરીક સ્વામીની દેરી, કોટયુક્ત, શિખરબંધ રચનાવાળુ છે.      વર્ષો વર્ષ જિર્ણોધ્ધાર પામેલ જિનાલયોમાંનુ પ્રાચિન જિનાલય ખંડેર સ્વરુપે હજુ બિરાજમાન છે. વર્તમાનમાં નૂતન બાવન જિનાલયનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. નૂતન જિનાલય પણ તીર્થ અને પ્રભુની દિવ્યતા અને ભવ્યતામાં ઓર ઉમેરો કરે છે.      ઇડર તીર્થ અને ગઢનો ઇતિહાસ બહુ જ જૂનો ને ભવ્ય છે.      જીર્ણો...

નવકાર મહામંત્ર

Image
 નવકારનો મહિમા અને ફળ                     નવકાર મંત્ર આ લોક અને પરલોક એમ બંને લોકમાં અત્યંત ઉપકારી છે. મહાનિશીથ સૂત્રમાં કહેલું છે કે , ભાવથી નવકાર ગણતાં ચોર , સિંહ , સર્પ , પાણી અગ્નિ બંધન , રાક્ષસ , સંગ્રામ , રાજભય વગેરે ભયો જતા રહે છે.                       બીજા ગ્રંથોમાં પણ કહેલું છે કે , " પુત્રાદિકના જન્મ વખતે પણ નવકાર ગણવો. કે જેથી તે નવકારના ફળથી ૠદ્ધિવંત થાય.  મરણ વખતે આ નવકાર સંભળાવવો કે જેથી મરનાર જરૂર સદ્દગતિએ જાય. આપદા વખતે પણ નવકાર ગણવો કે જેથી સેંકડો આપદાઓ જતી રહે છે. ધનવંતે પણ નવકાર ગણવો કે જેથી તેની ઋદ્ધિ વિસ્તાર પામે.                       નવકારના એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે. નવકારના એક પદથી પચાસ સાગરોપમ પાપોનો ક્ષય થાય છે. આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે.                      વિધિ પૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજ...

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

Image
  શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજી ક્યાં ,કેટલી સાલ પુજાયા . ગત ચોવીસીના નાવમાં શ્રી દામોદર ભગવાનના સમયમાં અષાઢી શ્રાવકે આ પ્રતિમાજીનું નિર્માણ કરાવેલું. ૧.  -  પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ.   ૨.  - સૂર્યદેવના  વિમાનમાં ૫૪ લાખ વર્ષ.   ૩.  - ભવનપતિ દેવ ના આવાસમાં સંખ્યાત વર્ષ .    ૪.  - ચંદ્રદેવના વિમાનમાં ૫૪ લાખ વર્ષ.  ૫.  - વ્યંતર દેવોના નગરોમાં સંખ્યાત વર્ષ.  ૬.  -  ગંગા નદીમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ.  ૭.  -  પુનઃ પ્રથમ દેવલોકમાંદ અસંખ્યાત વર્ષ.  ૮.  -  યમુના નદીમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ. ૯.  -  બીજા દેવલોકમાં અસંખ્ય વર્ષ. ૧૦.  - લવણોદધિ સમુદ્રમાં દેવ દ્વારા સંખ્યાત વર્ષ.  ૧૧.  - ગિરનાર પર્વત પાર કંચન બલાનક નામની સાતમી ટૂંક પર સંખ્યાત વર્ષ. ૧૨.  - પુનઃ પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ. ૧૩.   - મુનિસુવ્રતસ્વામીના સમયમાં રામચંદ્રજી દ્વારા સંખ્યાત વર્ષ. ૧૪.   - પુનઃ પ્રથમ દેવલોકમાં અસંખ્ય વર્ષ. ૧૫.  - પુનઃ ગિરનારન...

ગિરનાર તીર્થનો મહિમા

 🌷🙏ગીરનાર તીર્થ નો મહિમા🙏🌷 જેમ તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે, તેમ શત્રુંજય મહાતીર્થના પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થના મહિમાનું વર્ણન કરવું પણ અશક્ય જ છે. પૂર્વના મહાપુરુષોએ આ ગિરનાર મહાતીર્થનો મહિમા ઘણા ગ્રંથોમાં જુદી – જુદી રીતે દર્શાવ્યો છે. તેનો કંઈક અંશ અહીં બતાવવા પ્રયત્ન કરીએ છીએ. ૧. જ્યાં ગત ચોવીસીના દસ તીર્થંકર પરમાત્માના મોક્ષ કલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ ૨. જ્યાં વર્તમાન ચોવીસીના બાવીસમાં શ્રી નેમિનાથ પરમાત્માના ત્રણ કલ્યાણક થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ. ૩. જ્યાં આવતી ચોવીસીના ચોવીસે તીર્થંકર ભગવંતોના મોક્ષ કલ્યાણક થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ. ૪. જ્યાં વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ. ૫. જ્યાં અનંતા તીર્થંકર પરમાત્માઓના દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા અને થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ. ૬. જે તીર્થના પ્રભાવે કૃષ્ણ મહારાજાએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું એવુ...

५८ घडी कर्म की तो २ घडी धर्म की

 अट्ठावन घडी कर्म की   तो दो घडी धर्म  की  एक शेठ, जिसका नाम गांव के करोड़पति श्रेष्ठीओ में गिना जाता था ।उनका व्यापर परदेश मे  भी चलता था । एक बार  परदेश से अचानक समाचार आये की आप यहाँ आकर अच्छी तरह से अपना व्यापार संभाल लीजिये । समाचार सुनते ही सेठ विदेश के लिए रवाना हो गये। वहां व्यापार की देखभाल करके और आगे की व्यापारिक लेन-देन की रूपरेखा समझाकर कुछ ही महीनो में सेठजी वापस घर आने के लिए रवाना हुए,उनके साथ धनराशि का जोखम अधिक होने से उन्होंने अपने साथ तीन-चार पहरेदार रख लिए । भयंकर जंगल एवं अनेक अटवियों को सुरक्षित रूप से पार करते हुए शेठ जब अपने गांव के नजदीक पहुँचे , तब अचानक से नजदीक  की किसी पहाड़ी से ६० डाकुओ का गिरोह आ निकला ।एकसाथ चारो तरफ से उन्होंने शेठ जी को घेर लिया तथा जोर-जोर से बोलने लगे,” लूटो, पकड़ो, मारो , सारी धन-सम्पति को लूट लो ।”          अचानक ऐसा हमला देखकर शेठ हक्का -बक्का रह गया ।वह थर-थर कांपने लगा । ६० डाकुओ को देखकर , शेठ के साथ रहे हुए पहरेदार भाग खड़े हुए । अब शेठ अकेला होने के कारन ज्यादा ...

ગિરનાર તીર્થનો જીર્ણોદ્ધાર

ગિરનાર તીર્થના દેરાસરનો જીણોદ્ધાર 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏           વાત 900 વર્ષ પહેલાંની છે. ત્યારે પાટણમાં રાજા સિદ્ધરાજનું સામ્રાજ્ય ચાલતું હતું. સિદ્ધરાજે વિ. સં. 1170 માં સોરઠ દેશ ઉપર ચઢાઈ કરીને રા'ખેંગારને હરાવી લીધો. ત્યારબાદ સજ્જન મંત્રીને સૌરાષ્ટ્રના દંડનાયક તરીકે નીમવામાં આવ્યો.               એક વાર સજ્જન મંત્રી ગિરનાર તીર્થની યાત્રા કરવા જાય છે , ત્યારે ત્યાંના જીર્ણ થયેલા દેરાસરો જોઈને ખૂબ દુઃખી થાય છે. રાજા સિદ્ધરાજની હકુમતમાં જિનલયોની આવી હાલત ! તેનું અંતર કકળી ઉઠ્યું ! એ સમયે રાજગચ્છના સદા એકાંતરે ઉપવાસ તપની આરાધના કરતાં આચાર્ય ભદ્રેશ્વરસૂરિના ઉપદેશથી સજ્જન મંત્રીએ જીર્ણ હાલતમાં રહેતા કાષ્ઠના બનેલા શ્રી નેમિનાથ પરમાત્માના મુખ્ય જીનાલયનો પાયામાંથી જિણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો.                શુભ મુહૂર્તે જિણોદ્ધારનો પ્રારંભ થયો. કુશળ કારીગરો પોતાની કળાનો કસબ દેખાડવા લાગ્યા. ખંડેર બની ગયેલા મંદિરો મહેલ જેવા બનવા લાગ્યા. સજ્જન મંત્રી પોતાની સર્વ શક્તિ જિનાલયના નિર્માણ પાછળ ...

સ્નાત્ર પૂજા

Image
|| સ્નાત્રપૂજા-રાજકુમાર નંદિષેણ || જિનેશ્વર ભગવાનનો વિશ્વમાં જોટો ન જડે. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે ભગવાનનું શરીર ગુણોમાંથી બન્યું છે. પ્રભુના પ્રત્યેક રોમરાજીમાંથી ઝરે છે તે શું છે ? કરુણા અને પ્રેમ. જગતના સર્વ જીવો પર કરુણા અને જગતના સર્વ જીવો પર પ્રેમ.  જેના દર્શનથી આત્માની પાંખડી ખૂલી જાય તેવા જિનેશ્વર ભગવાનને સ્નાત્રપૂજામાં વંદન કરવામાં આવ્યા છે. 'કુસુમાભરણ' નામની ગાથામાં શી રીતે સ્નાત્ર ભણવવાનું છે તેની સૂચના મળે છે. સ્નાત્રપૂજામાં શું અમૃતભર્યું છે તે જાણી લો. ભગવાનને સિંહાસન પર બિરાજમાન કરશો ત્યારે પ્રતિમા પરથી પુષ્પો, આભૂષણો વગેરે ઉતારવાના છે. આ બધું કાર્ય વિવેકપૂર્વક કરવાનું છે.  વીરવિજયજી મહારાજ સ્નાત્રપૂજામાં શીખવે છે. ઉત્તમ ભાવના ભાવવાની છે. ક્યાંક વિવેક ચૂકવાનો નથી. સ્નાત્રપૂજા એટલે ભગવાનના જન્મોત્સવનું ગાન. વીરવિજયજી સ્વયં સાધુપુરુષ છે. સ્વયં મહાપુરુષ છે. ઉત્તમ ગ્રંથોના લેખક છે. દુનિયાને શ્રેષ્ઢ આપનારા છે. પહેલા શ્લોકમાં જિનેશ્વર ભગવાનનું વર્ણન છે. બીજા શ્લોકમાં કેવી રીતે વિધાન કરશો તે કહે છે.  આ જિનેશ્વર ભગવાનની સ્નાત્રપૂજા છે. એ સરળતાથી વહે છે. મહાન રચન...

દહેરાસરની વિધી

 દહેરાસર ની વિધી અને ૧૬ ભાવ..🙏🌹 ૧. "પ્રથમ નીસિહી": -આપણે મન,વચન,કાયાથી સંસારના કાર્યો ત્યાગ કરવા માટે બોલવી. ૨. "બીજી નીસિહી":- -આપણે મન,વચન, કાયાથી દહેરાસર સંબંધી વાતોના ત્યાગ માટે બોલવી. ૩. "ત્રીજી નીસિહી":- આપણેમન,વચન,કાયાથી,દ્રવ્ય ત્યાગ કરી ભાવ પૂજામાં સ્થિર થવા માટે બોલવી. ૪. "જળ પૂજા" :- -આપણા આત્મા ઉપર લાગેલા કર્મરૂપી મેલને ધોવા માટે કરવી ૫. "ચંદન પૂજા" :- -આપણા આત્માને ચંદન જેવો શીતલ બનાવવા માટે કરવી. ૬. "ફૂલ પૂજા" :- -આપણો આત્મા પત્થર જેવો કઠીન છે તેને ફૂલ જેવો કોમળ બનાવવા માટે કરવી. ૭. "ધૂપપુજા":- -આપણા આત્મામાંથી દુર્ગુણો કાઢી સદગુણો લાવવા માટે કરવી. ૮. "દીપક પૂજા" :- -આપણા ઉપર આવેલા અજ્ઞાનતાના અંધારા દૂર કરીને જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવા માટે. ૯. "અક્ષતપૂજા" :- -અક્ષયપદ મેળવવા માટે. ૧૦. "નૈવેધપૂજા" :- અણહારીપદ મેળવવા માટે. ૧૧. "ફળપૂજા" :- -મોક્ષરૂપી ફળ માટે કરવી. ૧૨. "સાથીયો" :- -ચારગતી ને નાસ કરવા માટે. ૧૩."ત્રણઢગલી":- -સમ્યગ્જ્ઞાન,સમ્યગ્દર્શન,સમ...

શત્રુંજય તીર્થની આરાધનાનું ફળ

Image
શ્રી શત્રુંજય તીર્થની આરાધનાનું ફળ. ૧) ધરમાં બેઠા શત્રુંજયનું ધ્યાન ધરે તો ૧ હજાર પલ્યોપમના પાપ કર્મો નાશ પામે છે. ૨) શત્રુંજય તીર્થયાત્રા ન થાય ત્યાં સુધી અમુક ઇષ્ટ વસ્તુ ન ખાવી તેવો અભિગ્રહ કરે તો ૧ લાખ પલ્યોપમના પાપ કર્મો નાશ પામે છે. ૩) શત્રુંજયની યાત્રા કરવા ઘરેથી નીકળે તો ૧ સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે. ૪) શત્રુંજય મહાતીર્થ ઉપર ચડી શ્રી મૂળનાયક દર્શન કરે તો ર સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે. ૫) તીર્થનાયકની પૂજા-સ્નાત્ર કરતાં ૧ હજાર સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે. ૬) શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ભાવનાથી સિદ્ધગિરિ તરફ જતાં દરેક ડગલે હજાર ભવ કોટીના પાપ કર્મોનો નાશ થાય છે. ૭) અન્ય તીર્થે પૂર્વ ક્રોડ વર્ષ આરાધના કરતાં જે ફળ પ્રાપ્ત થાય તેટલું ફળ શત્રુંજય તીર્થ પર નિર્મળ ભાવે માત્ર ૪૮ મિનિટની આરાધનાથી પામી શકાય છે. ૮) શ્રી શંત્રુજય તીર્થને વંદન કરવાથી સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઇ તીર્થ છે તે સર્વના દર્શન યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. ૯) અન્ય તીર્થોમાં ઉગ્ર તપ કરવાથી અને શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે તેટલું ફળ શત્રુંજયગિરિમાં માત્ર રહેવાથી મળે છે. ૧૦) અન્ય તીર્થે ૧...

તપનું મહત્વ

પ્રણામ🙏🙏🙏 જીવનમાં તપ નુ મહત્ત્વ  💦 જે ક્રિયા વડે  શરીર નો રસ રુધિર  વગેરે  સાત પ્રકારની  ધાતુઓ અથવા  તો  કર્મ સમુહ તાપ પામે શોષાઈ  જાય તેને ""તપ"" કહેવામાં  આવે છે.💦 💦 જીવનની  ચાર ગતિ પૈકી મનુષ્ય ગતિ  સર્વ શ્રેષ્ઠ છે. સર્વોત્કૃષ્ટ  સુખ મોક્ષની  પ્રાપ્તિ માટે મનુષ્યગતિ સિવાય  બીજું કોઇ  સાધન નથી.💦  💦 દેવો પણ એ દુર્લભ માનવજીવન ને ઝંખે છે. .!માનવજીવન નું ચણતર ધર્મ ના  દ્રઢ પાયા  પર રહેલું છે ધર્મ એ તેજરુપ  છે.💦 💦 જો એ ધર્મરુપી  તેજ લુપ્ત થયું તો? જીવન ની કિંમત કાચના  કટકાની  માફક  નહીંવત્  છે..!💦 💦 દાન, શીલ , "તપ", ભાવ ..એ ચારેય ધર્મ ના સ્તંભ છે.💦 💦 જિનપુજા , સામાયિક, પ્રતિક્રમણ વગેરે  ધર્મકરણી  નિર્જરા ના  હેતુભૂત  છે..પરંતુ કર્મો ના  ક્ષય  માટે તો  ""તપ""  એ જ એક અમોઘ ઉપાય છે.💦 💦 ભવચક્ર માં  અવ્યાબાધ સુખ  પ્રાપ્ત કરવું  તે જ અંતિમ લક્ષ્ય હોવું  જોઈએ.💦 💦 જે  સુખની  પાછળ  દુઃખ...

Parshwanath Dada

Image
શ્રી પાર્શ્વનાથ પ્રભુ પુરુષાદાનીય કેમ કહેવાયા ? તેઓશ્રી નો વિશેષ મહિમા અને ભારતવર્ષમાં સૌથી વધુ જિનાલયો કેમ જોવા મળે છે? 👉કારણ કે....... શ્રી પાર્શ્વનાથ પ્રભુ તીર્થંકર તરીકેના ભવથી પૂર્વના ત્રીજા ભવમાં શ્રી કનકબાહુ નામે રાજા હતાં શ્રી કનકબાહુ રાજાએ સંયમ નો સ્વીકાર કર્યો. વિધિપૂર્વક વીશ સ્થાનક તપ ની આરાધના કરી. 'સવી જીવ કરું શાસનરસી' ની ઉત્કૃષ્ટ ભાવના ભાવી તીર્થંકર નામ કર્મની નિકાચના કરી. કાલધર્મ પામી પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ આયુષ્ય વાળા પ્રમુખ દેવ થયાં. એ સમય તેરમાં તીર્થંકર શ્રી વિમલનાથ પ્રભુ નો હતો. આ પછી બાવીસમાં શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા ત્યાં સુધી દેવભવમાં રહેલા પ્રભુના આત્માએ શ્રી જિનેશ્વર ભગવંતોના 500 કલ્યાણક મહોત્સવોમાં અગ્રેસર બનીને અપૂર્વ પુણ્યબંધ કર્યો હતો. 500 કલ્યાણક આ રીતે સમજવા. 20 સાગરોપમ ના એ કાળ દરમિયાન 05 ભરત અને 05 ઐરાવત મળી 10 ક્ષેત્રો માં દશ દશ તીર્થંકરો થયા... એટલે 5 ભરતક્ષેત્ર x 10=50 5 ઐરાવતક્ષેત્ર x10=50 કુલ 100 તીર્થંકર ભગવંતો થયાં. દરેક તીર્થંકરના 5 કલ્યાણકો ગણતાં કુલ્લે 500 કલ્યાણકો થાય. દેવલોક માં રહેલા પાર્શ્વનાથ પ્રભુના આત્માએ 20 સાગ...

નેમિનાથદાદા

Image
ગિરનારના નેમિનાથ પ્રભુની પ્રતિમા વજ્રની બનેલી છે. 🌹 ❇ આ વાત લગભગ 700 વર્ષ પહેલાંની છે. 🌹 🌹 ❇      બાદશાહ સુરત્રાણે આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ને પૂછ્યું કે સૂરિદેવ ! તમારાં ધર્મમાં                       ગિરનારનાં ઘણાં ઘણાં ગીત ગાન ગવાયાં છે ! તો શું ગિરનાર આટલો પ્રભાવશાળી છે ?🌹🌹  ❇      " હા , બાદશાહ જૈન જ ધર્મમાં નહિ પણ બીજાં બધાં ધર્મોમાં ગિરનારને એક પવિત્ર તીર્થ તરીકે           નિહાળે છે. અમારાં નેમિનાથ પ્રભુનું વિશાળ ત્યાં જિનમંદિર છે. એમના ત્રણ - ત્રણ                             કલ્યાણકોથી એ ધરતી ધન્ય બની ગઈ છે. "🌹🌹 ❇      ' મંદિર - મૂર્તિનો કોઈ પ્રત્યક્ષ પ્રભાવ ખરો , સૂરિજી ? બાદશાહે પૂછ્યું. '🌹🌹 ❇      અને આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ની સાથે બાદશાહ સૂરત્રાણ એક દિવસ ગિરનાર              ...